Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને દહેજની ઘટના અંગે ફરી તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા સહિત સિવિલ હોસ્પિટલમાં નવો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાની માંગણી કરી હતી.

Share

ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા દહેજ ખાતેની યશસ્વી રસાયણિક કંપનીમાં ઘટેલી દુર્ધટનામાં 10 લોકોના મોત થયા હતા. ૫૦ થી વધુ લોકો ગંભીર ઘાયલ થયા હતા ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે યશસ્વી રસાયણ કંપનીમાં દુર્ઘટનામાં 10 લોકોના મોત બતાવવામાં આવી રહ્યો છે તે આંકડો ખોટો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સાડા નવથી ૧૧ વાગ્યા દરમિયાન કંપનીમાં 200 કરતાં પણ વધુ કામદારો કામ કરી રહ્યા હતા બે ટેન્કર ચાલક હતા, તેમજ અન્ય કામદારો પણ કામ કરી રહ્યા હતા ત્યારે જે ધડાકો થયો હતો તેમાં અસંખ્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તો મોતનો આંક ૧૦ કેમ જોકે કંપની અને અધિકારીઓ મૃત્યુઆંક વધુ હોવાથી તેને છૂપાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. સાથે આ મામલે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ ચેક કરવાની માંગણી કરી હતી, જવાબદાર અધિકારીઓ સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી, સાથે સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નવો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાની માંગણી પણ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં નવા વર્ષ 2020 નાં આગમનને ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં ડી.જે પાર્ટીઓ યોજાઇ હતી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે અન્નોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના ના કોન્ફરન્સ હોલ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની તમામ કોલેજોને “નેક” (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઊન્સીલ )અંગેની માહિતી મળે તે માટે કુલપતિ ડૉ મહેન્દ્ર પાડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જેમાં તમામ કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!