Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

Share

24 માર્ચથી લાગુ પડેલા લોક ડાઉનમાં તમામ કામ ધંધા અને રોજગાર બંધ કરી દેવામાં આવતા સૌથી કફોડી હાલત શ્રમિકો કે જેઓ રોજ કમાઈને ખાનારા લોકો, રીક્ષા ચાલકો સહિત અન્ય લોકોને લોક ડાઉન દરમિયાન ઘણું આર્થિક નુકસાન થયું હતું અને હાલ પણ મળેલી છૂટછાટને પગલે રીક્ષા લોકો પોતાનો ધંધો કરી શકતા નથી. ત્યારે આજે જય ભારત રિક્ષા એશોસિયેશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રીક્ષા ચાલકોને યોગ્ય પેકેજ આપવામાં આવે તેવી માંગણી કરી હતી કેમ કે હજુ પણ હજારો રિક્ષાચાલકો ધંધા વિના ઘરે બેઠા છે.શાળાઓની વર્દી બંધ છે જેને લઇને રિક્ષાચાલકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે ત્યારે જો ઉદ્યોગોને અને ખાનગી ટ્રાવેલ્સ વાળાને રાહત આપતું પેકેજ આપવામાં આવતું હોય ત્યારે રીક્ષા ચાલકોને પણ યોગ્ય રાહત વાળુ પેકજ આપવામાં આવે આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

લોકડાઉનનો આઠમો દિવસ કોરોના સામેની લડાઈમાં વહીવટીતંત્રને તંત્રને સહયોગ આપવા પંચમહાલના ધાર્મિક અગ્રણીઓની એકસૂરે અપીલ કરી.

ProudOfGujarat

સરકારનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં નેત્રંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : વિવિધ વોર્ડ વિસ્તારમાં સદસ્યોની પસંદગી કરવાની કામગીરી રાજકીય પક્ષો દ્વારા શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!