Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં વાલિયા રૂપનગરનાં એસ.આર.પી. કેમ્પનાં 2 જવાનો કોરોનાને હરાવી સાજા થયા.

Share

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં રૂપનગર એસ.આર.પી. કેમ્પનાં બે જવાનોએ કોરોના વાઇરસને હરાવી દીધો છે. આ બે જવાનો કોરોના વાઇરસને હરાવી સજા થતાં તેમણે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હોસ્પિટલનાં સ્ટાફે તેમણે તાળીઓનાં સન્માન સાથે રજા આપી છે. ભરૂચ જીલ્લામાં હાલ કોરોના વાઇરસનાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેની સામે કોરોના પોઝિટીવ દર્દીઓનો સાજા થવાનો સિલસિલો પણ ચાલુ રહ્યો છે. સાજા થવાના કેસમાં આજરોજ એસ.આર.પી. કેમ્પનાં આ બે જવાનોનો પણ ઉમેરો થયો છે. એક તરફ કોરોના પોઝિટીવ કેસો સતત સામે આવી રહ્યા છે અને બીજી તરફ દર્દીઓ કોરોનાને હરાવી સાજા પણ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ઉક્તિને ચરિતાર્થ કરતા પિરામીડ ડાન્સનું પ્રદર્શન તિલકવાડાનાં જવાહર નવોદય વિદ્યાલયના બાળકોએ કર્યું.

ProudOfGujarat

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!