Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મહંમદપુરા ખાતે આવેલ APMC ને શરૂ કરવાની માંગણી કરવા મજૂરો, વેપારીઓ અને ખેડૂત અગ્રણીઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી.

Share

ભરૂચમાં કોરોના વાઇરસની દેશ વ્યાપી મહામારીને પગલે ભરૂચનાં મહંમદપુરામાં આવેલ APMC ને સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું, સંક્રમણ વધશે જેવી વાતો ફેલાવીને APMC નાં ચેરમેન અને ધારા સભ્ય અરૂણસિંહ રણાએ જીલ્લાનાં વહીવટ અધિકારીઓ થકી મહંમદપુરાનું APMC બંધ કરાવીને વર્ષોથી બંધ એવાં વડદલા APMC ને અપૂરતી સુવિધા હોવા છતાં ચાલુ કરાવી મોટું રાજકારણ રમી નાંખવામાં આવ્યું હતું. ખંડેર થાય તે પહેલા લાખોની દુકાનોમાં વેપાર વેપાર થાય તેવી ચાલ રમીને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના વાઇરસની મહામારીમાં સંક્રમણનાં ખતરાનાં નામે કેટલાંક મીડિયામાં અહેવાલો પ્રસારિત કરીને મહંમદપુરાની APMC બંધ કરાવી દીધી જેને લઈને હાલ 400 વેપારી પૈકી 100 થી 120 વેપારીઓ જ નવી APMC માં ધંધો કરી રહ્યા છે. ત્યારે આ નવી વડદલા APMC માં ભાવ પણ વધારે હોવાની લારીઓવાળાની બુમ છે. ત્યારે હાલ જૂની APMC બંધ થતાં હજારો મજદૂરો બેકાર થઈ ગયા છે. ખેડૂતો અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ બગડી રહ્યો છે. ત્યાં આજે ખેડૂત અગ્રણી અરવિંદ રણા સહિતનાં અગ્રણીઓ, મજૂરો, ખેડૂતો, વેપારીઓ દ્વારા આજે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી કે હજારો મજૂરો બેરોજગાર બની ગયા છે. ખેડૂતોને માલ મોકલવામાં મુશ્કેલી છે. વેપારીઓ જ્યાં ત્યાં બેલી ધંધો કરવા મજબૂર છે ત્યારે રાજકારણ સાઈડ પર મૂકીને આ લોકોનાં હિતમાં તાત્કાલિક ધોરણે જૂની APMC શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્પોર્ટ્સ એસોસિએશને સેવાકીય કાર્યની શરૂઆત કરી.

ProudOfGujarat

રાજપીપળાના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ ના દર્દી મળી આવતા લોકોમાં ફફડાટ,તંત્ર નિદ્રાધીન 

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!