Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-19 નાં સાજા થયેલા સાત દર્દીઓને આજે રજા આપવામાં આવી આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ.

Share

કોવિડ-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૯ મી જુન, ૨૦૨૦ નાં રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નો નવો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ પૈકી સાત દર્દીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના ૪૪ દર્દીઓને રજા અપાતા આજની સ્થિતિએ રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે હવે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલનાં રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કુલ ૨૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-19 થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ગોધરા પાલિકાનાં કર્મચારીઓને ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા PPE કીટ આપવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસે રેડ કરી ગેરકાયદેસર ગેસ રિફિલીંગ પકડી પાડયું

ProudOfGujarat

ભરૂચ : માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ઉક્તિ સાચી પાડતો બનાવ બન્યો….. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!