Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં માછીમાર સમાજ દ્વારા આજે દેવપોઢી એકાદશીનાં દિવસે નર્મદા નદીમાં માતાજીને ચુંદડી અર્પણ કરી પૂજા કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

Share

ભરૂચ જીલ્લામાં વસતા હજારો માછીમાર પરિવાર માટે ચોમાસાનાં ચાર મહિના પરિવારનાં ગુજરાન માટે અતિ મહત્વનાં હોય છે. નર્મદા નદીમાં ચાર મહિના દરમ્યાન માછીમારી કરીને તેઓ આખા વર્ષ માટે પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. જેમ સામાજીક, ધાર્મિક પ્રસંગો પણ સામેલ છે ત્યારે આજે ભરૂચમાં ભાડભુત ગામ નજીક નર્મદા નદીમાં ભરૂચ જીલ્લાનાં માછીમાર સમાજ દ્વારા દેવપોઢી એકાદશીનાં દિવસે નર્મદા માતાની પૂજા અર્ચના, દુદ્યાભિષેક કરી 101 મીટરની ચૂંદડી અર્પણ કરાઇ હતી

અને નર્મદા નદીમાં માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ અંગે માછી સમાજનાં અગ્રણી ચીમનભાઈએ કહ્યું હતું કે આ ચાર મહિના ચોમાસાનાં અમારા માટે અતિ મહત્વનાં છે માછીમારી કરી આખા વર્ષ દરમ્યાન અમે અમારા પરિવાર માટે જીવન નિર્વાહની વ્યવસ્થા કરીએ છીએ.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો એ સ્વૈચ્છિક રીતે એકત્રિત કરેલ વીર શહીદ ફાળો.

ProudOfGujarat

સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં ભારત બંધના રાષ્ટ્રીય આંદોલન અને બહોળો પ્રતિસાદ મળ્યો છે લીંબડીના બજારો બંધ રહ્યા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર ના બ્રિજ નગર વિસ્તાર પાસે પાર્કિંગમાં મૂકેલી બાઈક ચોરી કરી જતા ચોર સીસીટીવીમાં કેદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!