Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ખાડો પડતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચનાં જુના સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગઈકાલ રાતથી સરદાર બ્રિજનાં બંને છેડા તરફ ટ્રાફિકજામ થવા માંડયો હતો. જે આજે સવારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી ટ્રાફિક પોલીસે ભરપૂર પ્રયાસો કર્યો હોવા છતાં તેમાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી. મળતી માહિતી મુજબ પુલ પર ખાડો પડયો હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જયારે આ અંગે વધુ તપાસ કરતાં પુલ પરનાં ખાડાનાં સમારકામ માટે તંત્રને જાણ કરી હોવા છતાં સમારકામ થયું નથી જેના પગલે ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી છે. બંને તરફ લાગેલ વાહનોની કતારને પગલે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ખાડો વહેલી તકે પુરાવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ એડ ક્લિનીકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા એક હીરો એચ.એફ ડીલક્ષ નંબર પ્લેટ વગર મળી કુલ કિં.રૂ. ૬૯,૪૪૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

ProudOfGujarat

ભરૂચના નન્નુમીંયા ગરનાળા પર બનેલી પ્રોટેકશન વોલના કારણે અકસ્માતો વધશે : કોંગ્રેસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!