Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા : રાજપારડી ખાતે વીજ કંપનીના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓએ પ્રશ્નોના નિવારણની કરી રજૂઆત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વીજ કર્મીઓએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેને સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. જીયુવીએનએલ ના જનરલ મેનેજરને ઉદ્દેશીને આપેલ આવેદનમાં જણાવાયું હતું કે જીયુવીએનએલ માં ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ જીવના જોખમે રાત દિવસ જોયા વિના ફરજ બજાવે છે. આ કર્મચારીઓના પગાર ધોરણ અને પગાર ભથ્થાઓમાં વિસંગતતાઓ હોવાથી તેમને આર્થિક નુકશાન થાય છે, તેથી પગાર ધોરણ મુજબના લાભ આપવા માંગ કરી હતી. આ કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાથી રીસ્ક એલાઉન્સનો લાભ આપવો, સાતમાં પગાર પંચ મુજબ એચઆરએ નો લાભ આપવો ઉપરાંત બીજા અને ચોથા શનિવારની રજાઓનો લાભ આપવાની પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી. તેમજ ઓવર ટાઇમનો લાભ આપવા ઉપરાંત નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓનો લાભ આપવા પણ માંગ કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ફીરદોશ એપાર્ટમેન્ટ ખાતે બનેલ ઘટના અંગે હત્યા નો ગુનો નોંધાતા સનસનાટી

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયના જર્જરિત મકાનનું સમારકામ કરાવવા સંદીપ માંગરોલાની માંગ.

ProudOfGujarat

અદિતિ ગોવિત્રિકરે પોતાની સૌંદર્ય સ્પર્ધા માર્વેલસ મિસિસ ઈન્ડિયા 2023 લોન્ચ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!