Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આગામી શ્રાવણ માસનાં અને અન્ય તહેવારો યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નો જાણો વાસ્તવિક હકીકત.

Share

ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનાં તહેવારોનો મહિમા અનેરો છે. જેમાં સૌ પ્રથમ માત્ર ભરૂચ જીલ્લામાં જ નહીં પરંતુ અનેક જગ્યાએ પ્રખ્યાત મેધરાજાની સ્થાપના અને તેના ભવ્ય મેળાનું આયોજન છે. કોરોના મહામારીનાં પગલે મળતી માહિતી મુજબ મેધરાજાની પ્રતિમાની સ્થાપના વિધિવત કરવામાં આવે તેવી સંભાવના છે પરંતુ મેળાનાં આયોજન અંગે હજી પ્રશ્નો યથાવત છે. કોરોનાની મહામારીને પગલે અતિ પ્રસિદ્ધ એવાં આ મેળાનું આયોજન કદાચ શકય નહીં બને તે સાથે છડી કે જે ભરૂચ જીલ્લાની આગવી ઓળખ છે તે છડી નોમનું પર્વ પણ દર વર્ષની જેમ યોજાશે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી. કોરોનાને પગલે ભરૂચ પંથકમાં તહેવારોથી વંચિત રહેવાથી માનસિક ઉદાસીનતાની લાગણી અનુભવી રહ્યા છે. વધતાં જતાં કોરોનાનાં કેસોને બ્રેક લાગે તેવી કામના ભરૂચવાસીઓ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે નેત્રંગ પંથકમાં ઘરે ઘરે જઇને પારિવારિક શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો.

ProudOfGujarat

બંબુસર ગામના ખેડૂતોનો પાવરગ્રીડ, જેટકોની હાઈટેન્શન લાઈન મુદ્દે વિરોધ, કલેક્ટરને આવેદન

ProudOfGujarat

સુરતનાં ઉધના વિસ્તારમાં એક યુવક પર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!