Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોનાનાં વધતાં કેસ સામે ભરૂચ જિલ્લામાં સવારનાં ૭ થી બપોરનાં ૪ વાગ્યા સુધી દુકાનો-ધંધા ચાલુ રાખવાનું કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયું.

Share

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.આમાં ભરૂચ જિલ્લામાં પણ કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો દેખાય છે.ત્યારે જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અનુલક્ષીને ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાએ દુકાનો- ધંધા બપોરના ૪ વાગ્યા સુધી જ ખુલ્લા ર‍ાખવા માટેનું જાહેરનામું બહાર પાડયું છે.જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ જિલ્લામાં તા.૯ જુલાઈ ૨૦૨૦ થી તા.૨૨ જુલાઇ ૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી તમામ પ્રકારના શોપીંગ કોમ્પલેક્ષ, શાક માર્કેટ, શાકભાજી, પાન મસાલાની દુકાનો, ચા નાસ્તાની લારીઓ- દુકાનો ( મેડિકલ અને દુધ પાર્લરની દુકાન સિવાય), તમામ વોક વે, બાગ – બગીચા સવારનાં ૭ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. વધુમાં જણાવાયા મુજબ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર શિક્ષાત્મક પગલા ભરાશે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ભરૂચ જિલ્લામાં શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ વધી રહ્યુ હોઇ, સંક્રમણને વધતુ અટકાવવા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં અગ્રણી દ્વારા સેનેટાઇઝરનું વિતરણ તથા કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા નર્સ બહેનોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

ProudOfGujarat

રાજપીપલા ખાતે જિલ્લા સેવા સદનમાં રૂા.૮ લાખના ખર્ચે જન સેવા કેન્દ્ર સહિત ૮ જેટલાં એક્વા પ્યુરી ફાયર-વોટર કુલરની સુવિધા ખુલ્લી મૂકાઇ.

ProudOfGujarat

ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના કર્મચારીઓ હડતાલ પર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!