Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

Share

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી. બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીનાં ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. જેના પગલે બંને તરફ વાહનોની કતારો થઈ જાય છે. આવી સમસ્યા વારંવાર થતી હોય રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે પણ અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ રસ્તા પર બ્રિજ પર એક વાહન અચાનક બંધ થઈ જતાં અન્ય વાહનચાલકો રોંગ સાઈડથી વાહન હંકારતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. તે સાથે બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી. જોકે અંકલેશ્વર ટ્રાફિક પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે હાઈવા ટ્રક ના ચાલકે માતા પુત્રી ને અડફેટમાં લેતા બંને ના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ : દેશ કોરોના મહામારીથી મુક્તિ મેળવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન કરી પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી.

ProudOfGujarat

ઘોંઘબાના જંગલ વિસ્તારમાં છુપાવેલો દારુ દામાવાવ પોલીસે શોધી કાઢ્યો. બુટલેગર ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!