Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

Share

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી. બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીનાં ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. જેના પગલે બંને તરફ વાહનોની કતારો થઈ જાય છે. આવી સમસ્યા વારંવાર થતી હોય રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે પણ અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ રસ્તા પર બ્રિજ પર એક વાહન અચાનક બંધ થઈ જતાં અન્ય વાહનચાલકો રોંગ સાઈડથી વાહન હંકારતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. તે સાથે બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી. જોકે અંકલેશ્વર ટ્રાફિક પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

Advertisement

Share

Related posts

સ્ટેટ વિજિલન્સએ વિદેશી દારૂનો જથ્થો પાલેજ નજીકના વરેડીયા ગામ પાસેથી ઝડપી પાડ્યો.રૂપિયા ૫ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૨ આરોપી ઝડપાયા.એક વોન્ટેડ….

ProudOfGujarat

શહેરના ખાડા મુદ્દે ભરૂચ નગરપાલિકા સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, લોકો બોલ્યા ચંદ્રયાન 3 એ જાહેર કરી પ્રથમ તસ્વીર

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!