Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું ભરૂચમાં લોકડાઉન ફરી નંખાશે ? કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય રહીશોનો મત.

Share

ભરૂચ જીલ્લામાં 15 દિવસ કરતા વધુ દિવસોથી કોરોના કેસોની સરેરાશ સંખ્યા 15 કરતાં વધુ રહી છે. કેસો વધવાના પગલે ભરૂચ જીલ્લામાં કલેકટરે બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ રખવાનું જાહેરનામુ બહાર પાડયું છે. તે અગાઉ સુપરમાર્કેટ, મોટા બજાર, ચાર રસ્તા જેવા વિસ્તારોનાં વેપારીઓએ સ્વેચ્છાએ દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ થઈ જાય છે. તેમ છતાં હજી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી જેના કારણે ભરૂચ જીલ્લામાં લોકો એમ જણાવી રહ્યા છે કે હવે લોકડાઉન એકમાત્ર ઉપાય રહ્યો છે. પરંતુ લોકડાઉનની અફવા ભરૂચ પંથકમાં ઘણા દિવસોથી ચાલી રહી છે. તે સાથે સાથે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકડાઉન કયારે આવશે તે તો આવનાર સમય જ કહેશે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના કરમાડ ગામ ની કન્યા શાળા ની ૧૭ જેટલી વિદ્યાર્થીનીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો………….

ProudOfGujarat

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોપી કેસ મુદ્દે એનએસયુઆઇએ આપ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!