Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું ભરૂચમાં લોકડાઉન ફરી નંખાશે ? કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય રહીશોનો મત.

Share

ભરૂચ જીલ્લામાં 15 દિવસ કરતા વધુ દિવસોથી કોરોના કેસોની સરેરાશ સંખ્યા 15 કરતાં વધુ રહી છે. કેસો વધવાના પગલે ભરૂચ જીલ્લામાં કલેકટરે બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ રખવાનું જાહેરનામુ બહાર પાડયું છે. તે અગાઉ સુપરમાર્કેટ, મોટા બજાર, ચાર રસ્તા જેવા વિસ્તારોનાં વેપારીઓએ સ્વેચ્છાએ દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ થઈ જાય છે. તેમ છતાં હજી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી જેના કારણે ભરૂચ જીલ્લામાં લોકો એમ જણાવી રહ્યા છે કે હવે લોકડાઉન એકમાત્ર ઉપાય રહ્યો છે. પરંતુ લોકડાઉનની અફવા ભરૂચ પંથકમાં ઘણા દિવસોથી ચાલી રહી છે. તે સાથે સાથે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકડાઉન કયારે આવશે તે તો આવનાર સમય જ કહેશે.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લામાં પ્રથમ વખત માંગરોળના ઇસનપુર ગામે ઉજ્જવલા ૨.૦ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શનનું વિતરણ.

ProudOfGujarat

ભરૂચ : છેલ્લા ૨૪ કલાકમાં પેટ્રોલપંપ પર લૂંટની બીજી ઘટનાને અંજામ, બોરી ગામ ખાતે ફાયરિંગ કરી લુંટનો નિષ્ફળ પ્રયાસ..!!

ProudOfGujarat

શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બન્યો, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!