Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું ભરૂચમાં લોકડાઉન ફરી નંખાશે ? કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય રહીશોનો મત.

Share

ભરૂચ જીલ્લામાં 15 દિવસ કરતા વધુ દિવસોથી કોરોના કેસોની સરેરાશ સંખ્યા 15 કરતાં વધુ રહી છે. કેસો વધવાના પગલે ભરૂચ જીલ્લામાં કલેકટરે બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ રખવાનું જાહેરનામુ બહાર પાડયું છે. તે અગાઉ સુપરમાર્કેટ, મોટા બજાર, ચાર રસ્તા જેવા વિસ્તારોનાં વેપારીઓએ સ્વેચ્છાએ દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ થઈ જાય છે. તેમ છતાં હજી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી જેના કારણે ભરૂચ જીલ્લામાં લોકો એમ જણાવી રહ્યા છે કે હવે લોકડાઉન એકમાત્ર ઉપાય રહ્યો છે. પરંતુ લોકડાઉનની અફવા ભરૂચ પંથકમાં ઘણા દિવસોથી ચાલી રહી છે. તે સાથે સાથે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકડાઉન કયારે આવશે તે તો આવનાર સમય જ કહેશે.

Advertisement

Share

Related posts

લોકડાઉનના સંકટ દરમિયાન પંચમહાલમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય શ્રમિકોને મહેમાનો જેવી સુવિધા સાથે કુલ 143 લોકોને શેલ્ટર હોમમાં રહેવા-જમવા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.

ProudOfGujarat

દિવાળીની રજા દરમિયાન 108ના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી અનેક દર્દીઓને તબીબી સેવાઓ પુરી પાડી હોસ્પિટલ સુધી પહોંચડયા હતા.

ProudOfGujarat

સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!