Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતા નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વિના-મુલ્યે છત્રીનું વિતરણ કરાશે.

Share

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતાં નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની સંકલિત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા નર્મદા જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વિભાગની માર્ગદર્શિકા/ઠરાવ મુજબ મંજુરી મળેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા જિલ્લાના લાભાર્થીઓએ i-khedut પોર્ટલ પર તા.૧૨/૦૭/૨૦ થી તા.૧૫/૦૮/૨૦ સુધી ઓનલાઈન અરજી કરી અરજીઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂ.નં ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવા સદન, નર્મદા– રાજપીપલા ખાતે સ્વીકારવામાં આવશે, (કચેરી સંપર્ક નં.૦૨૬૪૦-૨૨૧૮૮૯) તેમ,નાયબ બાગાયત નિયામકશ્રી નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના નાડા ગામે એક તળાવમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

અંકલેશ્વરનાં સહયોગ હોટલ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ વાહનોમાં તોડફોડ કરતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!