Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજે કોરોના પોઝીટિવ કેસ 13 નોંધાતા કુલ આંકડો 618 થયો.

Share

ગતરોજ તા.17-7-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓ 47 જેટલા નોંધાયા હતા જે કોરોનાનાં સૌથી વધુ દર્દીઓ હતા. આજે તા.18-7-2020 નાં રોજ સમગ્ર ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવનાં દર્દી માત્ર 13 હોવાનું ભરૂચ જીલ્લા આરોગ્યતંત્રએ જણાવ્યુ હતું. કોરોના પોઝીટિવ 13 દર્દીઓમાં ભરૂચમાં 3, આમોદમાં 3, અંકલેશ્વરમાં 6, જંબુસરમાં 1 દર્દીનો સમાવેશ થાય છે. જયારે વાલિયા, વાગરા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ એમ પાંચ તાલુકાઓમાં એક પણ કેસ નોંધાયા ન હતા. તેમજ આજે કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા 13 છે તેની સામે સાજા થયેલ દર્દીઓની સંખ્યા 15 છે. આમ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી તે આવરદાયક છે. આજે 13 કોરોના પોઝીટિવ દર્દી ઉમેરાતાં ભરૂચ જીલ્લામાં કુલ 618 પોઝીટિવ દર્દીઓ નોંધાયા છે. જયારે એક્ટિવ કેસ 232 છે અને મૃત્યુ આંક 15 ઉપર સ્થિર છે.

Advertisement

Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પિટલનો આંખ વિભાગ ફરી ઘમઘમતો થયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સામોર ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

કેવી રીતે થયો ભરૂચ ઝધડીયા GIDC માં બ્લાસ્ટ ? ઔદ્યોગિક એકમોમાં બ્લાસ્ટમાં કેમ થાય છે કામદારોનાં મૃત્યુ ? …જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!