Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કોરોના પોઝીટિવ દર્દીનાં મોતનાં સમયે પડતી તકલીફો માટે અલગ શબવાહિની અને એક કાર્યકરોની ટીમ બનાવવા માટે માંગ.

Share

અંકલેશ્વરમાં પણ કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. તે સાથે સાથે કોરોના દર્દીનું મોત નિપજતા અનેક સમસ્યાઓનો સામનો મૃતકનાં પરિવારજનોએ કરવો પડે છે જેથી અંકલેશ્વરનાં કોરોના પોઝીટિવ દર્દીઓનું મોત થતાં તેમનાં મૃતદેહને ગોલ્ડન બ્રિજ સુધી પહોંચાડવા અલાયદી એમ્બુલન્સ અને પી.પી.ઇ. કીટથી સજ્જ કાર્યકરોની તાલીમ પામેલ ટીમ તૈયાર કરવામાં આવે તેવી માંગણી અંકલેશ્વર નગરપાલિકાનાં કોંગેસ સભ્યો અને અગ્રણી નગરપાલિકાનાં સભ્ય શરિફ કાનુગાએ કરેલ છે. તાજેતરમાં અંકલેશ્વર પંથકમાં કોરોનાથી અવસાન પામેલ દર્દીઓનાં સગાં-સંબંધીઓને અંતિમક્રિયા કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાનાં કોંગ્રેસનાં સભ્ય શરિફ કાનુગાએ અલગ એમ્બુલન્સ અને કાર્યકરોની ટીમની માંગણી કરેલ છે.

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં અમદાવાદ ખાતે 64 વર્ષ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાશે

ProudOfGujarat

ભારે વરસાદની આગાહીને લઇ ગીર સોમનાથ જિલ્લામાં NDRF ની ટીમ તેનાત.

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કોરાના વાઇરસનાં કહેરમાં માનવતા મહેકાવી, વતન જતાં પરપ્રાંતીય માટે સતત 5 માં દિવસે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!