ભરૂચની સંસ્કૃતિની ઓળખ એટલે મેધરાજા ભોઈ જ્ઞાતિ દ્વારા ઉજવાતા મેધરાજા અને છડીનોમનો સૈયકાઓ જૂનો ઇતિહાસ છે. છપનિયા દુકાળ સમયે વરસાદની મનોકામનાઓ સાથે મેધરાજાની સ્થાપના કરવામાં આવી હતી જે હજીપણ રિવાજ યથાવત છે. સાથે સાથે મેધરાજા ભરૂચની ઓળખ થઈ ગયા છે ત્યારે હાલ માત્ર પ્રતિમાની સ્થાપના કરાઇ છે. હવેના દિવસોમાં તેમનો શણગાર કરવામાં આવશે. કોરોના મહામારીનાં પગલે મેધરાજાનાં દર્શન અંગે ખાસ નિયમો ભકતજનો માટે ઘડવામાં આવ્યા છે જે મુજબ પ્રતિમાને હાથ લગાડી શકશે નહીં, ભકતોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. જયારે મેધરાજાને બાળકોને ભેટાડવામાં નહીં આવે અને માસ્ક વગર દર્શન કરવા દેવામાં આવશે નહીં.
Advertisement
