Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 22 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા જીલ્લામાં કુલ સંખ્યા 665 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં ભરૂચ અંકલેશ્વર-હાંસોટ તાલુકાઓ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં પ્રથમ ક્રમે આવી રહ્યા છે. જ્યારે કે હમણાં સુધીમાં છ સદી વટાવી ચૂકેલા કોરોનાનાં દર્દીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહ્યા છે. ભરૂચમાં આજે 22 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા એમાં અંકલેશ્વર પંથકમાં 9, હાંસોટમાં 3, ભરૂચમાં 2, જંબુસરમાં 1, વાલિયામાં 2, વાગરામાં 4, ઝધડીયામાં 1 જેટલા લોકો આજે કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે જિલ્લામાં કુલ 26 લોકોને આજે હોસ્પિટલમાંથી સારવાર થતાં સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 665 લોકો સંક્રમિત થયા છે જેમાંથી 240 જેટલા એકટિવ દર્દી જણાય રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા મથકે અને ઉમરપાડાનાં કેવડી ખાતે વિશ્વ ટીબી દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા દ્વારા નવીન સેનેટાઇઝ મશીનનું પરીક્ષણ, હવે વિવિધ વિસ્તારો સેનેટાઇઝની કામગીરી ઝડપથી થશે.

ProudOfGujarat

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રી અને સચિવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!