Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 22 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા જીલ્લામાં કુલ સંખ્યા 665 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં ભરૂચ અંકલેશ્વર-હાંસોટ તાલુકાઓ કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં પ્રથમ ક્રમે આવી રહ્યા છે. જ્યારે કે હમણાં સુધીમાં છ સદી વટાવી ચૂકેલા કોરોનાનાં દર્દીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહ્યા છે. ભરૂચમાં આજે 22 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા એમાં અંકલેશ્વર પંથકમાં 9, હાંસોટમાં 3, ભરૂચમાં 2, જંબુસરમાં 1, વાલિયામાં 2, વાગરામાં 4, ઝધડીયામાં 1 જેટલા લોકો આજે કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે જિલ્લામાં કુલ 26 લોકોને આજે હોસ્પિટલમાંથી સારવાર થતાં સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 665 લોકો સંક્રમિત થયા છે જેમાંથી 240 જેટલા એકટિવ દર્દી જણાય રહ્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલના  શહેરા તાલુકાના  સીમલેટ ગામનો વિકાસ ઝંખતા ગ્રામજનો. પુલ તેમજ વીજળીની સુવિધા આપવાની  માંગ. 

ProudOfGujarat

૫૫ વર્ષની ઉંમરે મળ્યું નવું જીવનદાન.જાણો કેવી રીતે?

ProudOfGujarat

વાલિયા તાલુકાના તુણા ગામ તરફ જવાના માર્ગ પર ઈક્કો કાર પલ્ટી જતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ યુવાનનોને ઈજાઓ પહોંચી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!