Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહન ની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું.

Share

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી પર અંકલેશ્વર થી ભરૂચ જવાના રસ્તા પર કોઈ અજાણ્યા વાહન ની અડફેટે એક બાઈકસવાર ઈસમ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી પર સાંજ અરસા માં હોટલ પ્રાઈમ ની સામે એક બાઈકસવાર ને અજાણ્યા વાહન એ અડફેટે લેતા વાહન ચાલક ના માથા ના ભાગે ભારી વાહન ના તોતિંગ ટાયર ફરી વળતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક ની ઓળખ કરતા તેનું નામ અશોક પડવી રહે અંદાડા સોંરભ નગર નો રહેવાસી માલુમ પડ્યું હતું.મૃતક જીઆઇડીસી ની કંપની માં કામ કરતો હોય પોતાનું વાહન મોટરસાયકલ નમ્બર જીજે-૧૬-સીક્યુ-૧૩૬૨ લઈ પોતાના ઘર તરફ જતા હોય અને રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહન ની અડફેટે આવતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ ની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ મથક નો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહ નો કબજો મેળવી અજાણ્યા વાહન વિરુદ્ધ અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજ્યમાં આજથી ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડુતોની ચિંતામાં વધારો

ProudOfGujarat

ભરૂચમાં નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી

ProudOfGujarat

ભરૂચ સિવિલ રોડ પર આજ રોજ બપોર ના સમયે સ્કૂટી પેપ માં અચાનક ભીષણ આગ લાગતા નાશભાગ મચી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!