Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના મહામારીનાં આ સમયે લોકોના બિલો, વેરાઓ, ભાડા તથા ટેક્ષો માફ કરાવવા ભરૂચનાં જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું.

Share

દેશમાં છેલ્લા પાંચ-છ માસથી કોરોના વાઇરસની મહામારીનાં કારણે લોકડાઉન ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અને જીલ્લાઓમાં પણ લોકડાઉનનો અમલ કારવાઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં પણ છેલ્લા પાંચ મહિનાથી લોકોના ધંધા-રોજગાર, વેપાર તેમજ મજૂરી કરી ખાનારા લોકોની આવક બંધ થઇ છે. લોકોનું સામાન્ય જીવન જીવવું પણ કપરું બની રહ્યું છે. આ પરિસ્થિતીમાં જીવનનિર્વાહ કરવાના પણ ફાફાં પડી રહ્યા છે. આ સંજોગોને ધ્યાનમાં લઈ ભરૂચનાં જાગૃત નાગરિકોએ આના અનુસંધાનમાં ગુજરાતનાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં કોવિડ 19 મહામારીમાં ધંધા-રોજગારથી વંચિત લોકોના વીજબિલ, હાઉસટેક્ષ, વ્યવસાયવેરા, ભાડાપટ્ટાની દુકાનોનાં ભાડા અને ઇ.એમ.આઇ. માફ કરવાની માંગ કરવામાં આવી છે અને સરકારને આ કપરા સમયે લોકોને તકલીફોમાંથી રાહત મળે તેવી માંગ કરાઇ છે તથા આ બાબતે ગુજરાત સરકાર વહેલી તકે પ્રજાનાં હિતમાં નિર્ણય લે તેવી વિનંતી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડદલા ગામ ખાતે બાળક સાથે હીન કૃત્ય કરી હત્યા કરનાર નરાધમને દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડામાં એક જ રાતમાં બે મકાનોનાં તાળાં તોડી ચોરો સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરીને ફરાર.

ProudOfGujarat

ગ્લેમર પહેલાં શ્રદ્ધા: કૃતિ શેટ્ટીનો તિરુપતિમાં આધ્યાત્મિક પ્રવાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!