Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના મહામારીનાં આ સમયે લોકોના બિલો, વેરાઓ, ભાડા તથા ટેક્ષો માફ કરાવવા ભરૂચનાં જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું.

Share

દેશમાં છેલ્લા પાંચ-છ માસથી કોરોના વાઇરસની મહામારીનાં કારણે લોકડાઉન ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અને જીલ્લાઓમાં પણ લોકડાઉનનો અમલ કારવાઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં પણ છેલ્લા પાંચ મહિનાથી લોકોના ધંધા-રોજગાર, વેપાર તેમજ મજૂરી કરી ખાનારા લોકોની આવક બંધ થઇ છે. લોકોનું સામાન્ય જીવન જીવવું પણ કપરું બની રહ્યું છે. આ પરિસ્થિતીમાં જીવનનિર્વાહ કરવાના પણ ફાફાં પડી રહ્યા છે. આ સંજોગોને ધ્યાનમાં લઈ ભરૂચનાં જાગૃત નાગરિકોએ આના અનુસંધાનમાં ગુજરાતનાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં કોવિડ 19 મહામારીમાં ધંધા-રોજગારથી વંચિત લોકોના વીજબિલ, હાઉસટેક્ષ, વ્યવસાયવેરા, ભાડાપટ્ટાની દુકાનોનાં ભાડા અને ઇ.એમ.આઇ. માફ કરવાની માંગ કરવામાં આવી છે અને સરકારને આ કપરા સમયે લોકોને તકલીફોમાંથી રાહત મળે તેવી માંગ કરાઇ છે તથા આ બાબતે ગુજરાત સરકાર વહેલી તકે પ્રજાનાં હિતમાં નિર્ણય લે તેવી વિનંતી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા ગુલીઉમરમાં રંગોલી સ્પર્ધા યોજાય.

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દશેરાના પર્વના દિવસે દહેજ ના રસ્તા પર કરુણ અકસ્માત, ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલ્ટીખાતા અકસ્માત સર્જાતા ૨ વ્યક્તિના કરુણ મોત જયારે ૩ વ્યક્તિઓને ગંભીર ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!