Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા તથા ભરૂચ જીલ્લાનાં ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તે માટે મનસુખભાઇ વસાવાએ રસાયણ મંત્રીને પત્ર લખ્યો.

Share

હાલમાં સમગ્ર ગુજરાતનાં ખેડૂતો યુરિયા ખાતરની કમી મહેસુસ કરી રહ્યા છે. ગુજરાતમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ચાર-પાંચ કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી જેથી ખેડૂતો ભારે વિકટ પરિસ્થિતીમાં મુકાયા છે અને આ કારણે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને આ બાબતે અવારનવાર ફરિયાદો પણ કરી રહ્યા છે. આ પરિસ્થિતીનાં અનુસંધાનમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ દિલ્લી ખાતે રસાયણમંત્રીને પત્ર પાઠવ્યો છે જેમાં ભરૂચ અને નર્મદા જીલ્લાનાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર મળી રહે તેવી માંગ કરવામાં આવી છે તથા આ બાબતે અધિકારીઓને ખેડૂતોને વહેલી તકે આ મુસીબતમાંથી મુકત કરી આ સમસ્યાનો હલ લાવવાની માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજ્યપાલના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આરંભ કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં રસ્તા પહોળા કર્યા તો અર્ધા રોડ પર વાહનોએ અડિંગો જમાવ્યો

ProudOfGujarat

ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી ભરૂચ પોલિટેકનીક કોલેજ ખાતે યોજાનાર હોવાથી રૂટ ડાયવર્ટ અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!