Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા તથા ભરૂચ જીલ્લાનાં ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તે માટે મનસુખભાઇ વસાવાએ રસાયણ મંત્રીને પત્ર લખ્યો.

Share

હાલમાં સમગ્ર ગુજરાતનાં ખેડૂતો યુરિયા ખાતરની કમી મહેસુસ કરી રહ્યા છે. ગુજરાતમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ચાર-પાંચ કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી જેથી ખેડૂતો ભારે વિકટ પરિસ્થિતીમાં મુકાયા છે અને આ કારણે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને આ બાબતે અવારનવાર ફરિયાદો પણ કરી રહ્યા છે. આ પરિસ્થિતીનાં અનુસંધાનમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ દિલ્લી ખાતે રસાયણમંત્રીને પત્ર પાઠવ્યો છે જેમાં ભરૂચ અને નર્મદા જીલ્લાનાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર મળી રહે તેવી માંગ કરવામાં આવી છે તથા આ બાબતે અધિકારીઓને ખેડૂતોને વહેલી તકે આ મુસીબતમાંથી મુકત કરી આ સમસ્યાનો હલ લાવવાની માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ના મહંમદ પુરા સર્કલ નજીક આવેલ મોબાઇલ શોપમાં ચોરી-હજારોની મત્તા ઉપર હાથફેરો,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ .

ProudOfGujarat

ગુજરાતનાં 36 શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર : રાત્રિના 9 થી 6 સુધી રહેશે અમલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!