Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા મુકામે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Share

બે કરોડના ખર્ચે બનાવેલ કોમ્યુનિટી હોલનુ લોકાર્પણ કરવામાં આવ્યું.
આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજ સેવકોનુ સન્માન કરવામાં આવ્યું.
નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરાયો છે. ત્યારે ઉમરગામ થી લઇ અંબાજી સુધીના પટ્ટા પર વિશ્વ આદિવાસી દિન’ની અલગ અલગ રાજકીય પાર્ટીઓ, આદિવાસી સંગઠનો તથા આદિવાસી જનતા દ્વારા ૯ મી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવણી કરવામાં અાવે છે. આજરોજ ઝઘડિયા ખાતે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીના હસ્તે બે કરોડ જેટલી રકમના ખર્ચે બનેલ ઝઘડિયા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓથી આદિવાસી વિસ્તારની સુરત બદલાઇ રહી છે. ભૂતકાળની સરખામણીએ ઘણો વિકાસ આદિવાસી ક્ષેત્રોએ મેળવ્યો છે. દેશને આઝાદી અપાવવામાં પણ આદિવાસી સમાજનું મોટું યોગદાન છે. આ પ્રસંગે માનગઢ માં શહીદ થયેલા હજારો આદિવાસી યોદ્ધાઓને યાદ કરવામાં આવ્યા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના ૧ અને ૨ માં ૧ લાખ કરોડથી વધુ રૂપિયા વિકાસ માટે ફળવાયા છે. આદિવાસી સમાજને તેમની સત્તા મળે તે માટે પેસા એક્ટના માધ્યમથી અનેક લોકોને જમીનોના સનદ અપાયા છે. અને તેમને પગભર કરાયા છે. ૯૧ હજાર થી વધુ લાભાર્થીઓને દોઢ લાખ એકર જેટલી જંગલની જમીનના આદેશ આપવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં સિંચાઈ યોજનાના માધ્યમથી આદિવાસી લોકોને ખેડૂત બનાવી પગભર કરાયા છે. પાણી પુરવઠા યોજના હેઠળ નલ સે જલ ના માધ્યમથી આદિવાસી વિસ્તારોમાં પીવાનુ પાણી પહોંચાડયું છે. ચાલુ સાલે આદિવાસી વિસ્તારોમાં વિકાસ કામો માટે રુ. ૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા આદિવાસી યુવાનોને તબીબી અભ્યાસનો લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આદિવાસી સમાજ શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે આદિવાસી વિસ્તારોમાં વીજળી પહોંચી નથી તેવા વિસ્તારોમાં ૧૦૦ વધુ નવા સબ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. દૂધ સંજીવની યોજના હેઠળ નાના બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં આદિવાસી મંત્રાલયની શરૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સવા છ કરોડ આદિવાસીઓ પગભર બને અને શિરમોર પ્રગતિ હાંસલ કરે તેવી કટિબદ્ધતા સરકારે દાખવી છે. આદિવાસી સમાજને આગળ લાવવો એ સરકારની તેમજ આપણા સહુની ફરજ છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ૪૩ જેટલા આદિવાસી તેજસ્વી તારલાઓ તથા સમાજ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી

Advertisement

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલે તબાહી મચાવતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

ProudOfGujarat

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત બાદ પિતાએ દિકરાનો કર્યો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!