Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગોકુળ આઠમનાં દિવસે ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મ પ્રસંગે ઉત્સવ યોજાશે.

Share

ગોકુળ આઠમ નિમિત્તે ભક્તજનોમાં અનેરો આનંદ જણાય રહ્યો છે. આ વર્ષે ભરૂચ જીલ્લામાં સૌથી વધુ લોકો પોતાના નિવાસસ્થાને ભગવાન કૃષ્ણનાં જન્મપ્રસંગની ઉજવણી રાત્રિનાં 12 વાગ્યે કરશે. ત્યારે કોરોના મહામારીનાં પગલે મેળાનાં આયોજન પર પ્રતિબંધ મૂકાયો છે તેમજ મંદિરોમાં પણ કૃષ્ણ ભગવાનનાં જન્મ પ્રસંગે કાર્યક્રમ યોજવા અંગે પ્રતિબંધ મુકાયો છે. ત્યારે ભકતોએ પોતાના ઘરે જ કૃષ્ણ ભગવાનનાં જન્મદિનની ઉજવણી અંગે તમામ તૈયારી કરી લીધી છે. નાનકડા પારણામાં ભગવાનને જુલાવવા સહિત ભગવાનને વાઘા, બાંસુરી, મોરપીંછ તેમજ વિવિધ શણગાર ભકતો કરી રહ્યા છે. કોરોના મહામારીનાં પગલે ભકતોએ ઘરમાં રહી શ્રી કૃષ્ણ ભગવાનનાં જન્મ પ્રસંગે યાદગાર પ્રસંગ તરીકે ઉજવવા તમામ તૈયારીઓ કરેલ છે.

Advertisement

Share

Related posts

શું વડાપ્રધાને પરમાણુ હુમલો કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે ?

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સાથે મોટરસાયકલ ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!