ભરૂચ જીલ્લામાં ઘણા લાંબા સમયથી કિસાનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. અત્યારસુધી ભરૂચ જીલ્લામાં વરસેલ વરસાદ ખેતીલાયક ન હતો. તેથી કિસાનોમાં નિરાશાની લાગણી જણાતી હતી. પરંતુ ગોકુળ આઠમનાં દિવસે વરસાદે જમાવટ કરી છે. જયારે હવામાનખાતા દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે વરસાદ માફકસરનો રહેશે. આ વરસાદનાં પગલે ખેડૂતનાં બિયારણને જીવતદાન મળેલ છે. ભરૂચ જીલ્લાનાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસેલ હોવાથી ખેડૂતોની દુનિયામાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.
Advertisement