Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના મહામારીનાં સમયમાં ફી ની ઉધરાણી અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રજૂઆત.

Share

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સહમંત્રી નિખિલ લીમ્બાચિયા અને તેમના સહકાર્યકરો દ્વારા નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ભરૂચને પત્ર લખી કોરોના મહામારીનાં સમયમાં વિદ્યાર્થીઓ પાસે ફી ની ઉધરાણી ન કરવા વિનંતી કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓનાં વાલીઓનાં વેપાર ધંધા ખોરવાય ગયા છે તેમજ વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન માધ્યમથી ચાલે છે તેથી વિદ્યાર્થીઓને ફી ભરવા જણાવાયું છે. જેમાં ટયુશન ફી સિવાયની ફી પણ ઉધરાવવામાં આવી રહી છે. વર્તમાન પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓ પાસેથી લેબોરેટરી, કેમ્પસ ડેવલોપમેન્ટ, યુનિવર્સિટી ડેવલોપમેન્ટ વગેરે બાબતોની ફી ઉધરાવવી તે યોગ્ય નથી તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે ટયુશન ફી સિવાયની ફી લેવામાં ન આવે અને ટયુશન ફી પણ હપ્તાથી લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓનાં વાલીઓને રાહત રહે. જો માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના તમામ વોર્ડમાં વિકાસના કામમા સમાન ગ્રાન્ટની વહેંચણી કરવા બાબતે ભરૂચ નગર પાલિકા ના વિરોધ પક્ષના સભ્યોએ આવેદન પત્ર પાઠવ્યું…

ProudOfGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સી ની યુ.પી.એલ કંપનીમાં ચોરી

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસી ની બ્રિટાનિયા કંપનીમાં થયેલ ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચે ઝડ્પ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!