Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી. જાહેર મંડપો કે પંડાલને બદલે ઘરે ઘરે શ્રીજીને બિરાજમાન કરવાનો ટ્રેન્ડ દેખાયો. કોરોના કાળને કારણે ગણેશ ઉત્સવની ઝાકમઝાળ આ વખતે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં ગણેશોત્સવ સાર્વજનિક નહિ હોય ! આ વખતે સોસાયટી કે અપાર્ટમેન્ટમાં વિશાળ પ્રતિમાને બદલે નાની પ્રતિમાની સ્થાપના કરી ભક્તોએ સંતોષ માનવો પડશે. વાંકલ ખાતે પણ ગણેશ ઉત્સવ ફિક્કો નજરે પડયો હતો. વાંકલમાં સ્ટેશન વિસ્તારમાં ડૉ. યુવરાજસિંહના ઘરે, આઝાદચોકમાં ઉમેશભાઈ મોદીના ઘરે, બજેટ ફળીયામાં વિજયભાઈ વસાવાના ઘરે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવ્યું હતું.

વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ.જી. સુરત

Advertisement

Share

Related posts

ચાવજ રોડ પરથી દેશી દારૂ ભરેલી ટવેરા ઝડપાઈ ત્રણ આરોપીની કુલ રૂ!. ૫,૦,૯૦૦૦ નાં મુદ્દામાલ સાથે અટકાયત : એક વોન્ટેડ

ProudOfGujarat

સુરતનાં સચીન જીઆઈડીસીમાં કન્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભફૈયા આશ્રમ ખાતે શિષ્યોએ ગુરૂના દર્શન કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!