Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાત માલધારી સેનાએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Share

ગુજરાત માલધારી સેના એકમનાં મહામંત્રી જશુભાઇ વાઘાભાઈ ભરવાડની આગેવાનીમાં ગૌચરની જમીન અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દરેક તાલુકામાં મામલતદારની આગેવાનીમાં ગૌચર જમીન અંગે એક સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિમાં ગુજરાત માલધારી સેનાનાં એક કાર્યકરને સમિતિમાં સ્થાન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક તાલુકામાં ગૌચરની જમીન પર કેટલા ગામોમાં દબાણ છે તેનું સર્વે કરવામાં આવે અને પોલીસ રક્ષણ આપી ગૌચર પરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે. આ ઉપરાંત પશુઓની સંખ્યાનાં હિસાબે ગૌચરની જમીન ફાળવવામાં આવે સાથે પશુપાલકોને વાડાની આકારણી કરી આપવામાં આવે. તેમજ દર પાંચ ગામે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત અત્યારસુધી ગૌચરની જમીન પર થયેલ દબાણ અંગે આવેલ અરજીઓનાં તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા શહેર પોલીસ તંત્રએ લોકોને માસ્ક આપી કોવિડની સમજણ આપી.

ProudOfGujarat

ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રસ્તા બનાવવા અંગે વ્રુક્ષ છેદન થતા હરિયાળું ભરૂચ ધીમ ધીમે રણસમાન ભસવા લાગ્યું જાણો કેવી રીતે ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!