Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાત માલધારી સેનાએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Share

ગુજરાત માલધારી સેના એકમનાં મહામંત્રી જશુભાઇ વાઘાભાઈ ભરવાડની આગેવાનીમાં ગૌચરની જમીન અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દરેક તાલુકામાં મામલતદારની આગેવાનીમાં ગૌચર જમીન અંગે એક સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિમાં ગુજરાત માલધારી સેનાનાં એક કાર્યકરને સમિતિમાં સ્થાન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક તાલુકામાં ગૌચરની જમીન પર કેટલા ગામોમાં દબાણ છે તેનું સર્વે કરવામાં આવે અને પોલીસ રક્ષણ આપી ગૌચર પરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે. આ ઉપરાંત પશુઓની સંખ્યાનાં હિસાબે ગૌચરની જમીન ફાળવવામાં આવે સાથે પશુપાલકોને વાડાની આકારણી કરી આપવામાં આવે. તેમજ દર પાંચ ગામે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત અત્યારસુધી ગૌચરની જમીન પર થયેલ દબાણ અંગે આવેલ અરજીઓનાં તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગર સેવા સદનના ગંદા પાણીની વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડોના કામનું સાઇટ પર લેવામાં આવેલ ક્યુબના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી, 20 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!