Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

Share

ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડતા પહેલા તંત્ર દ્વારા નદી કિનારાનાં વિવિધ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ નગરનાં નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ગતરોજ તા.28-8-2020 નાં સાંજના સમયથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરતાં 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હજી પણ વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. હાલ બપોરે 12 વાગ્યાનાં સુમારે સરદાર સરોવર ડેમની સપાટી 131.25 હોવાનું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યુ હતું. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સવારે 8 કલાકે નદીની સપાટી 8.25 ફૂટ, 10 કલાકે 9 ફૂટ અને 12 કલાકે 10 ફૂટની સપાટી નોંધાય હતી.

Advertisement

Share

Related posts

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી : ભરૂચમાં આજે ૧૦.૮૬ મતદારો એક બટન દબાવી ૯૫૬ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે

ProudOfGujarat

વાલિયાના રૂંધા ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ચંદન વેચાણનું રેકેટ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે દંપતીની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!