Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકામાં ભેંસોમાં ગળસુંઢાનો રોગ ફેલાતા 15 થી વધુ ભેંસોનાં મોત નીપજયાં.

Share

ચોમાસાની ઋતુની શરૂઆત થવાની સાથે જ પશુઓમાં પણ રોગચાળો ફેલાય રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢાનો રોગ ભેંસોમાં જણાયો હતો. જંબુસર અને આમોદ તાલુકામાં ગળસુંઢા જેવા ચેપી રોગ ફેલાતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાય રહી છે તે સાથે જ અત્યારસુધી આશરે 15 કરતાં વધુ ભેંસોનાં ગળસુંઢા જેવા ચેપી રોગનાં પગલે મોત નીપજયાં હોવાનું જાણવા મળેલ છે. જીલ્લાનાં પશુ આરોગ્યતંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વરમાં શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન કરવા નગરપાલિકા પ્રમુખની લોકોને અપીલ.

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાની એક જ માંગ જાણો કઈ ?

ProudOfGujarat

કરજણના ફૂટવેરના વેપારીઓએ જીએસટી વધારાનો વિરોધ કરી મામલતદારને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!