Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આર.ટી.ઇ. પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.

Share

સરકારશ્રીની આર.ટી.ઇ. પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ભરૂચનાં વિરલ પ્રજાપતિ દ્વારા રાજયમાં શિક્ષણ વિભાગનાં સચિવશ્રી શિક્ષણમંત્રીશ્રી સહિત ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારે અરજીમાં જણાવ્યાનુસાર તેમની પુત્રી વિહાંગીનાં આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ અને જે અરજી તા.26-08-2020 નાં રોજ જીલ્લા કક્ષાએ મંજૂર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તા.05-09-2020 નાં રોજ જીલ્લા કક્ષાએથી રહેણાંકનાં પુરાવામાં માતા-પિતા કે બાળકનું નામ ન હોવાના કારણોસર ના મંજૂર કર્યા બાબતનો મેસેજ આપી મંજૂર કરેલ અરજી ના મંજૂર કરતાં અરજદારે જીલ્લા કક્ષાએ ભ્રષ્ટાચાર આચરી મંજૂર કરેલ અરજી ના મંજૂર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરેલ છે. સાથોસાથ પરિપત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોય છતાં ખોટા બહાના હેઠળ મંજૂર કરેલ અરજી કોઇ ભ્રષ્ટાચાર કે લાગવગના કારણે ના મંજૂર કરેલ હોવાના ગંભીર આક્ષેપ કરી તપાસની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના નિકોરા ગામે બેટ ઉપર ફસાયેલા પશુઓ માટે ઘાસચારાનો અભાવ, ત્રીજા દિવસે પણ પશુપાલકો પશુઓને લઈને બેટ પર યથાવત

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર- વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉછાલી ગામ ખાતે પ્રકૃતિ સુરક્ષા મંડળ તથા યુ.પી.એલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!