Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આર.ટી.ઇ. પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.

Share

સરકારશ્રીની આર.ટી.ઇ. પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ભરૂચનાં વિરલ પ્રજાપતિ દ્વારા રાજયમાં શિક્ષણ વિભાગનાં સચિવશ્રી શિક્ષણમંત્રીશ્રી સહિત ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદારે અરજીમાં જણાવ્યાનુસાર તેમની પુત્રી વિહાંગીનાં આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ અને જે અરજી તા.26-08-2020 નાં રોજ જીલ્લા કક્ષાએ મંજૂર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તા.05-09-2020 નાં રોજ જીલ્લા કક્ષાએથી રહેણાંકનાં પુરાવામાં માતા-પિતા કે બાળકનું નામ ન હોવાના કારણોસર ના મંજૂર કર્યા બાબતનો મેસેજ આપી મંજૂર કરેલ અરજી ના મંજૂર કરતાં અરજદારે જીલ્લા કક્ષાએ ભ્રષ્ટાચાર આચરી મંજૂર કરેલ અરજી ના મંજૂર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરેલ છે. સાથોસાથ પરિપત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોય છતાં ખોટા બહાના હેઠળ મંજૂર કરેલ અરજી કોઇ ભ્રષ્ટાચાર કે લાગવગના કારણે ના મંજૂર કરેલ હોવાના ગંભીર આક્ષેપ કરી તપાસની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

જામનગરમાં નાગરીકોને આભા કાર્ડ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બી.આઈ.એસ. લાયસન્સ વગર ધમધમતો ‘મિનરલ વોટર’નો કરોડો રૂપિયાનો ‘ગંદો’ કારોબાર : આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાના કારણે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં

ProudOfGujarat

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!