Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આ વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન થશે કે કેમ ? આયોજકો મૂંજવણમાં…

Share

દર વર્ષે ભરૂચ જીલ્લામાં નવરાત્રિ મહોત્સવનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. આવા નવરાત્રિ મહોત્સવ અંગે મહિનાઓ અગાઉથી તૈયારીઓ થવા લાગે છે. તેમાં પણ ખાસ કરીને નામાંકિત ગાયક કલાકારો અને સાજીંદાઓને મહિનાઓ આગાઉ મોટી રકમ આપી બુક કરી લેવાય છે. આવી જ રીતે ફરાસખાના અને નવરાત્રિ મહોત્સવને લગતી અન્ય બાબતો અંગે પણ બુકિંગ કરી લેવાય છે. પરંતુ આ વર્ષે કોરોનાનાં પગલે અત્યારસુધી કોઈ બુકિંગ કરવામાં આવ્યા હોય તેમ જણાતું નથી ત્યારે ભરૂચ જીલ્લાનાં નવરાત્રિ મહોત્સવનાં આયોજકો નવરાત્રિ મહોત્સવ અંગે કોરોના યુગમાં સરકાર પરવાનગી આપશે કે કેમ તે અંગે મૂંજવણ અનુભવી રહ્યા છે. જો સરકાર કોરોના મહામારીમાં નવરાત્રિ મહોત્સવનાં આયોજન પગલે પરવાનગી આપે તો તે બાબત જુદી છે. પરંતુ માત્ર 100 કે 200 ખેલૈયા માટે પરવાનગી આપવામાં આવે તો નવરાત્રિ મહોત્સવનાં આયોજકોની હાલત વધુ કફોડી બની જશે તેમણે ના છૂટકે સ્થાનિક કલાકારો પર આધાર રાખવો પડશે અથવા તો સુકનનાં 5 ગરબા ગવડાવીને ધાર્મિક રીત રસમ પૂર્ણ કરવી પડશે એવું લાગી રહ્યું છે. હાલ તો થોભો અને રાહ જુઓ તેવી પરિસ્થિતી છે.

Advertisement

Share

Related posts

ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત થનાર પોલીસ કર્મીને વિદાયમાન અપાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટે આત્મહત્યાના કેસમાં ચાર ઇસમોને 2 વર્ષ બાદ ચુકાદો આપી નિર્દોષ ઠરાવ્યા.

ProudOfGujarat

વડોદરા : ક્રિકેટ સટ્ટામાં રૂ. 7 લાખ હારી જતા 23 વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત, બુકીઓ સામે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!