Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આ વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન થશે કે કેમ ? આયોજકો મૂંજવણમાં…

Share

દર વર્ષે ભરૂચ જીલ્લામાં નવરાત્રિ મહોત્સવનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. આવા નવરાત્રિ મહોત્સવ અંગે મહિનાઓ અગાઉથી તૈયારીઓ થવા લાગે છે. તેમાં પણ ખાસ કરીને નામાંકિત ગાયક કલાકારો અને સાજીંદાઓને મહિનાઓ આગાઉ મોટી રકમ આપી બુક કરી લેવાય છે. આવી જ રીતે ફરાસખાના અને નવરાત્રિ મહોત્સવને લગતી અન્ય બાબતો અંગે પણ બુકિંગ કરી લેવાય છે. પરંતુ આ વર્ષે કોરોનાનાં પગલે અત્યારસુધી કોઈ બુકિંગ કરવામાં આવ્યા હોય તેમ જણાતું નથી ત્યારે ભરૂચ જીલ્લાનાં નવરાત્રિ મહોત્સવનાં આયોજકો નવરાત્રિ મહોત્સવ અંગે કોરોના યુગમાં સરકાર પરવાનગી આપશે કે કેમ તે અંગે મૂંજવણ અનુભવી રહ્યા છે. જો સરકાર કોરોના મહામારીમાં નવરાત્રિ મહોત્સવનાં આયોજન પગલે પરવાનગી આપે તો તે બાબત જુદી છે. પરંતુ માત્ર 100 કે 200 ખેલૈયા માટે પરવાનગી આપવામાં આવે તો નવરાત્રિ મહોત્સવનાં આયોજકોની હાલત વધુ કફોડી બની જશે તેમણે ના છૂટકે સ્થાનિક કલાકારો પર આધાર રાખવો પડશે અથવા તો સુકનનાં 5 ગરબા ગવડાવીને ધાર્મિક રીત રસમ પૂર્ણ કરવી પડશે એવું લાગી રહ્યું છે. હાલ તો થોભો અને રાહ જુઓ તેવી પરિસ્થિતી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ચોરાયેલ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામે આવેલા મીઠી તલાઇ આશ્રમના નાના મહારાજ ની હત્યા પ્રકરણ માં ભરૂચ પોલીસ ને મોટી સફળતા મળી હતી જેમાં હત્યાના આરોપી દંપતિ ની વારાણસી થી ધરપકડ કરવામાં આવતા હત્યા કાંડ માં ચોકવનારા ખુલાસા સામે આવ્યા હતા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા ૯૩ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!