Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે ચોરીની ઘટના બની જાણો વધુ.

Share

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં ઉપરાચાપરી ત્રણ ચોરીનાં બનાવો બનતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે, તો દુકાનદારો સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસતંત્ર દ્વારા થતી પેટ્રોલીંગની કાર્યવાહી અંગે લોકોમાં શંકા કુશંકા ફેલાઈ ગઈ છે. ત્યારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ વિસ્તરમાં આવેલ સ્વાસ્તિક પાર્ક સોસાયટીનાં એક મકાનમાં ચોરી થઈ હતી.

જેમાં સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. 3 લાખ કરતાં વધુ મત્તાની ચોરી થઈ હતી. આ અંગે બરખા શ્યામકલમ પાંડેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે સાથે સારંગપૂર વિસ્તારમાં ટ્રકની ઉઠાંતરી થઈ હોવાનો પણ બનાવ નોંધાયો હતો.

આ સાથે રાજપીપળા ચોકડી વિસ્તારમાં એક દુકાનને ટાર્ગેટ બનાવી તસ્કરોએ રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ચોરીનાં વધતાં જતાં બનાવનાં પગલે લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. તેથી પોલીસતંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના વેકશીનનાં ડોઝ અપાયા, જાણો અત્યાર સુધી કેટલા લોકોએ લીધા વેકશીનનાં ડોઝ..!!

ProudOfGujarat

૩૧મી ઓક્ટોબર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,રાજ્યોના મુખ્યમંત્રીઓ,રાજ્યપાલ સહિતનાં મહાનુભાવો આવશે

ProudOfGujarat

કુદરતનો પ્રકોપ કે પછી શ્રાપ:સુરત જિલ્લાના એક ગામમાં એક પછી એક એમ ૪૦ લોકોના અકાળે મોત થયા.જાણો વિગતે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!