Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી, નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દીમાંથી નાંદોદ તાલુકાનાં 11 છે.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં શનિવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં રાજપૂત ફળિયું ૦૩, મોટા માછીવાડ ૦૧, વડિયા પેલેસ ૦૧, આદિત્ય ૦૧, રાજેન્દ્રનગર સોસા. ૦૧, નાંદોદના ગોપાલપરા ૦૧, પ્રતાપનગર ૦૨, વડિયા ૦૧, ગરુડેશ્વરના સંજરોલીમાં ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૭ દર્દી દાખલ છે. આજે ૦૬ દર્દી સાજા થતા રજા અપાઈ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૯૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૮૫૫ પર પહોચ્યો છે. આજે વધુ ૪૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ભરૂચ : કીશનાડ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૮ ઇસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો.

ProudOfGujarat

તારીખ ૦૭/૦૮/૨૦૨૦ નાં આમોદ ૧૦૮ એમ્બુલન્સનાં સ્ટાફ દ્ધારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ સગર્ભા મહિલાને વધુ સારવાર માટે એસ.એસ.જી વડોદરાની હોસ્પિટલમાં લઈ જતાં એમ્બુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!