Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નંદેલાવ ઓવરબ્રિજ પર મસમોટા ખાડાનાં કારણે ટ્રાફિકજામ સર્જાયો.

Share

ભરૂચ જીલ્લામાં હાલમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા જણાઈ રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 15 કી.મી. સુધીનો ટ્રાફિક થઈ જતાં ટ્રાફિકજામ થઈ જાય છે તો કેટલીકવાર ગોલ્ડન બ્રિજ પર પણ વાહનોની લાંબી કતારો ખડી થઈ જાય છે. ત્યારે હવે ફલાય ઓવરબ્રિજનાં બિસ્માર રસ્તાને કારણે ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી છે. નંદેલાવ ઓવરબ્રિજ પર મસમોટા ખાડા પડેલ છે જેના કારણે સળિયા દેખાવા માંડયા છે

કેટલાક સમય અગાઉ આ ખાડાઓનું સમારકામ કરી ખાડા પૂરી દેવાયા હતા પરંતુ વરસાદ વરસતા ફરી ખાડામાં પૂરેલ કપચી સહિતનું મટીરિયલ બહાર આવી જતાં ફરી ઊંડા ખાડા થતાં ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે. તંત્ર દ્વારા ખાડા પુરવા અંગે ટકાઉ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે “વિશ્વ દિવ્યાંગ દિવસ” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં બની રહેલ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગનાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આઈટીઆઈ ફોકસ્ડ ઇક્વિટી ફંડ એનએફઓ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!