Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં ફરી એકવાર પ્રદુષિત પાણીનો આમલાખાડીમાં નિકાલ કરવાનું ષડયંત્ર સામે આવ્યું.

Share

ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે જેમાં ખાસ કરીને અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારોમાં આવેલા કેટલાક નફ્ફટ બનેલા ઉધોગો અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે, અંકલેશ્વરના બોઇદ્રા ગામની સીમમાંથી પસાર થતી આમલાખાડીમાં વધુ એકવાર પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવતા પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોએ સ્થળ પર દોડી જઇ મામલા અંગે જીપીસીબી માં જાણ કરી હતી.

એનસીટી-ઝઘડિયાની એફ્લૂએન્ટ વહન કરતી લાઇનમાંથી એફ્લૂએન્ટ નિકાલ કરવાનું ષડયંત્ર બહાર આવતા જીપીસીબી દ્વારા સ્થળ પરથી સેમ્પલો મેળવી ઉપસ્થિત લોકોના નિવેદનોના આધારે મામલા અંગેની તપાસ શરૂ કરી છે, મહત્વની બાબત છે કે આ અગાઉ પણ અંકલેશ્વરની આમલાખાડીમાં પ્રદૂષિત જળ છોડવાના કારણે અનેક જળચર પ્રાણીઓ મોતને ભેટ્યા હોવાના અહેવાલો સામે આવી ચુક્યા છે તેવામાં વધુ એકવાર આમલાખાડીમાં પ્રદુષિત જળ છોડવાની ઘટનાએ જીપીસીબી ને દોડતી કરી છે, ત્યારે જોવું રહ્યું કે આખરે આ પ્રકારે પ્રદૂષણ ફેલાવતા ઉધોગો સામે આખરે તપાસ બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે.

હારૂન પટેલ

Advertisement

Share

Related posts

જિન્માસ્ટિક ટ્રેમ્પલીન વર્લ્ડકપમાં હેડ ઓફ ડેલિગેશન તરીકે રાજપીપળાના પ્રો.હિમાંશુ દવેની પસંદગી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારનાં ગોડાઉનોમાં ભીષણ આગથી અફરાતફરી, ૫ થી વધુ ફાયરની મદદથી આગ પર મેળવાયો કાબુ.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમા શ્રી ચુંવાળિયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!