Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને ઉમરપાડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

હાલમાં જે (1) કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્યક વિધેયક (2) કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક અને કૃષિ સેવા કરાર વિધેયક નામ ત્રણ કાયદા પસાર કર્યા છે તેને કાળો કાયદો ગણાવી કાયદાનો વિરોધ અને વાંધો નોંધાવ્યો હતો. આવેદનમાં જણાવ્યા મુજબ આ કાયદો આવવાથી ખેડૂતોના હક્ક છીનવાય જવાનો ડર, ખેડૂતોને પોતાની જ જમીનમાં કંપનીઓનાં મજુર બનાવનાર, ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપનીકરણ કરનાર, સંગ્રહખોરોને પ્રોત્સાહન આપનાર અને ખેડૂતોનું તમામ પ્રકારે શોષણ થાય તેવી જોગવાઈ કરતા કાયદાઓ છે જેનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરે છે એમ જણાવ્યું હતું. ઉમરપાડા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી ગૌરાંગભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ અને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના પ્રભારી તરીકે પીસી પટેલ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર જીલ્લામાં પોલીસ નશાનાં કારોબારીઓ ઉપર તવાઈ બોલાવી રહી છે જેમા પાકી બાતમીને આધારે એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર શહેરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજા સાથે એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

નેત્રંગ અને વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી સુરત જિલ્લાના વાડી ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનો ઉમરપાડામાં તીવ્ર વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!