Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપનાં આ ગદ્દાર નેતાઓને જનતા માફ નહીં કરે : કોંગ્રેસનાં આકરા પ્રહારો….જાણો વધુ.

Share

કરજણ – શિનોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કરજણ નજીક હોનેસ્ટ હોટલ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિસદ યોજાઈ હતી. જેમાં જયરાજસિંહ પરમાર – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા, નરેન્દ્ર રાવત – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા જિલ્લા અને તાલુકા કક્ષાના કોંગ્રેસના નેતા અને ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

કરજણ- શિનોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કરજણ નજીક હોનેસ્ટ હોટલ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિસદ યોજાઈ હતી. જેમાં જયરાજસિંહ પરમાર – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા, નરેન્દ્ર રાવત – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા જિલ્લા અને તાલુકા કક્ષાના કોંગ્રેસના નેતા અને ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા નરેન્દ્ર રાવતે અને જયરાજસિંહે જણાવ્યું હતું કે રાજ્યસભાની 3 બેઠક જીતવા માટે ભાજપ દ્રાર કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ખરીદીને રાજ્ય સભા ભાજપે 3 સીટ જીતી હતી.

કોરોના કાળમાં પેટા ચૂંટણીઓ ભાજપ દ્રારા થોપી દેવામાં આવી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. નોટબંધી અને GST ને રાતના 12 વાગ્યાના નિર્ણયને જનતા અને ઉદ્યોગકરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો એવા આકરા પ્રહારો કર્યા હતા. જનતા આ ગદ્દાર નેતાઓને માફ નહીં કરે તેવું ઉમેદવાર કિરીટસિંહએ કહ્યું હતું. કિરીટસિંહ જાડેજા, જયરાજસિંહ, નરેન્દ્ર રાવત, 8 એ 8 સીટો કોંગ્રેસ જીતે છે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આજે 2 નવા કેસો સાથે કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 145 થઇ.

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી) ની મુલાકાત લેતા ભુપેન્દ્ર યાદવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!