Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું

Share

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું.

નવચોકી ઓવારા ખાતે આવેલ શંકરા ચાર્ય મઠ પર આજે વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિર પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો

Advertisement

જુના ભરૂચ વિસ્તારમાં નવ ચોકી ઓવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને આજે સવાર ના સમયે કોઈક અસામાજિક તત્વો દ્વારા સળગાવવા નો પ્રયાસ કરવામાં આવતા ભારે ચકચાર મચી છે,

કોઈક અજાણ્યા ઈસમ દ્વારા કરવામાં આવેલ આ પ્રકાર ના નાપાક કૃત્ય મંદિર પરિસદ માં લાગેલ સીસીટીવી કેમેરા માં કેદ થવા પામ્યા હતા,સાથે સાથે અસામાજિક તત્વ યુવક દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણ વાળા કાગળ પણ ફેંક્યા હોવાનું કહેવાય છે,

હાલ સમગ્ર મામલે ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે, જોકે આ પ્રકારની કરતુતો કોણ કરી શકે છે, શહેર ની શાંતિ દોહરાય તેવા કૃત્ય કોણ ઈચ્છી રહ્યા છે તેવા અનેક સવાલો હાલ સમગ્ર ઘટના ક્રમ બાદ થી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

ProudOfGujarat

સુરતમાં લિફ્ટ તૂટતા એક શ્રમિકનું મોત, આઠ લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલાવર પટેલનાં આકસ્મિક નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!