Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કિન્નરે પોતાના પ્રેમીની હત્યા કરી જાણો કેમ ?

Share

કિન્નર સાથે પ્રેમ રાખવાથી તેનો કરૂણ અંજામ આવ્યો હોય તેવો બનાવ ભરૂચ નજીક મકતમપુર વિસ્તારમાં બન્યો હતો. આ બનવામાં કિન્નર દ્વ્રારા તેના પ્રેમીને ચપ્પુનાં ઘા કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટનાની વિગત જોતાં ભરૂચ સી ડીવીઝન પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સુફિયાબેન ઇકબાલ યુસુફ શેખ મૂળ રહે. કાસીપૂરા સરાર જી. વડોદરા હાલ રહે. કરજણ પાનસોબાર તા. કરજણ જી. વડોદરાનાં જણાવ્યા અનુસાર સુફિયાબેનનાં નાનાભાઈ અબ્દુલ કાદિર હાજીભાઇ સિંધી ઉં. વર્ષ 30 ને મકતમપુર વિસ્તારમાં રહેતી નયના કિન્નર સાથે આશરે 10 વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ બંને વચ્ચે નાના મોટા ઝઘડા વારંવાર થતાં હતા અને મરણ જનાર અબ્દુલ ભાઈએ આશરે 4 દિવસ પહેલા સુફિયાબેનને ઘરે કરજણ ખાતે જઇ જણાવ્યુ હતું કે નયનનાં કિન્નરે જાનથી મારી નાંખવાની ધમકી આપેલ છે જેથી નયના કિન્નરે મરણ જનાર અબ્દુલ કાદિર હાજી ભાઈ સિંધીને ચપ્પુ વડે પેટની ડાબી બાજુએ બે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ બનાવ તા.11-11-2020 નાં રાત્રિનાં સમયે આશરે પોણા 8 પહેલા કોઈપણ સમયે મકતમપુર નજીક બન્યો હતો. આ બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લામાં 24 કલાક માં 9 ઇંચ વરસાદ

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ખેડા જીલ્લાના માતર પાસેના નેશનલ હાઇવે પર આઈસર ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!