Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં ગ્રાહક નિવારણ કોર્ટે HDFC બેંકને રૂ. 10,000 ચુકવવા કર્યો હુકમ જાણો કેમ ?

Share

પંચમહાલ જીલ્લા ગ્રાહક નિવારણ તકરાર ફોરમ નિવારણ કમિશન દ્વારા એક ચુકાદાના ભાગરૂપે ગોધરાની એચ.ડી.એફ.સી. બેંકને રૂ.10,000 ચૂકવવા માટેનો ચુકાદો આપવામા આવ્યો છે.

મળતી વિગત અનુસાર ગોધરામાં રહેતા એક સિનીયર નાગરિક એચ.ડી.એફ.સી. બેઁકમા ખાતુ ધરાવે છે. પોતાના નાણાંની જરૂરીયાત હોય તેઓ બેંકમાં નાણા લેવા માટે ગયેલા હતા પણ બેંકનુ સર્વર બંધ હતુ આથી બેંક સત્તાધીશો દ્વારા એ.ટી.એમ. માંથી ઉપાડી લેવા જણાવેલ હતુ પણ એ.ટી.એમ. નું સર્વર પણ બંધ હતું.

Advertisement

બેંકનાં મેનેજરને આ બાબતે તેમને પૈસાની જરૂર હોય જાણ કરતા મેનેજર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામા આવ્યુ હતું આથી સિનીયર નાગરિક જવાબદાર સત્તાધીશોને ટિવટર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી. વધુમાં સિનીયર નાગરિકે ગ્રાહક નિવારણ તકરાર ફોરમમાં અરજ કરી દલીલો ચાલતા અરજદાર નાગરિકનાં પક્ષમા ચુકાદો આવ્યો હતો. તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને એચ.ડી.એફ.સી. બેંકને રૂ.10,000 ચુકવાનો આદેશ આપ્યો છે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાને 160 યુનિટ રક્ત મળ્યું.

ProudOfGujarat

જામા મસ્જિદને લઈને જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજનું નિવેદન, આ સમડી વિહાર છે :  સદીઓ પહેલાં એક સમડી તિક્ષ્ણ બાણથી ઘાયલ હતી ત્યારે જૈન સાધુઓએ નમસ્કાર મહામંત્ર સંભળાવી તેને સમાધી મરણ અપાવ્યું : સમડીએ લંકાના રાજપરિવારમાં જન્મ લીધો રાજસભાની એક ઘટનાથી તેને પૂર્વ જન્મ યાદ આવ્યો અને સમણી વિહાર બનાવ્યુ

ProudOfGujarat

અંકલેશ્વર : જળ પ્રદુષણ કંટ્રોલ થયો નથી ત્યાં તો હવે વાયુ પ્રદુષણની ફરિયાદો!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!