Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની જે.પી કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા….

Share

ભરૂચની જે.પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી એવો આક્ષેપ એન.એસ.યુ.આઈ નાં પ્રમુખ યોગી પટેલે કર્યો હતો. યોગી પટેલે જણાવ્યું હતુ કે લેબમાં પ્રેકટીકલ કરવા વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં આવે છે અને કોવિડની ગાઇડલાઇનનું ઉલ્લંધન કરવામાં આવે છે.

સ્કોલરશીપ અને પ્રવેશ પ્રક્રિયાની લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાય છે તેમજ કેમ્પસમાં વિદ્યાર્થીઓનાં ટોળા માસ્ક વગર જણાય છે. તેમજ કોલેજનો સ્ટાફ પણ સરકારની ગાઇડલાઇન પ્રમણે ૩૦% જ બોલાવવાનો હોય છે પરંતુ કોલેજમાં પૂરેપૂરા સ્ટાફને બોલાવામાં આવે છે.

આમ વિદ્યાર્થી તેમજ તેમનાં પરીવારને કોરોના થશે તો જવાબદાર કોણ ? શું કોલેજ સંચાલકો જવાબદારી લેશે ખરા.? તેવા પ્રશ્નો એન.એસ.યુ.આઈ દ્વારા કરવામાં આવ્યા હતા.
આવી કોલેજોનાં સંચાલકો પર સરકારનાં ધારા ધોરણ મુજબ કાર્યવાહી થાય એવી ભરૂચ જીલ્લા એન.એસ.યુ.આઈ નાં પ્રમુખ યોગી પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ આરોગ્ય સેવાઓ પરત્વે ઉદાસીનતા જોવા મળી હતી આ અંગેનો વિડિયો વાયરલ થયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી ઝડપાયો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, બે આરોપીની કરાઈ ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!