Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં બજારો ભારત બંધનાં એલાનમાં બંધ રહ્યા…

Share

ભરૂચ નગરમાં ભારત બંધનાં એલાનને જબરજસ્ત પ્રતિભાવ સાંપડયો હતો. વહેલી સવારથી જ મોટાભાગનાં દુકાનદારોએ પોતાની દુકાનો બંધ હોવાના પગલે નગરનાં વાહનવ્યવહાર પર પણ તેની અસર પડી હતી. રિક્ષા સહિત અન્ય વાહનોની અવરજવર ઓછી જણાઈ હતી.

કતોપોર બજાર, ગાંધી બજાર સહિતનાં મહત્વનાં બજારો બંધ રહ્યા હતા. આ બજારો બંધ રહેતા તેની અસર ભરૂચ નગરનાં સામાન્ય જનજીવન પર પડી હતી. જનજીવન અંશત: બંધ રહ્યું હોય તેવા દ્રશ્યો ખડા થયા હતા. એ સાથે કતોપોર બજાર અને ગાંધી બજાર જેવા ભરૂચ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારો સાથે સંકળાયેલા હોય ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોની અવરજવર ખૂબ ઓછી થતાં એસ.ટી બસોમાં મુસાફરો ન જણાતા એસ.ટી. બસો ખાલી જણાઈ હતી. આ બંધનાં એલાનને પગલે વહેલી સવારથી ધમધમતા વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી. જીલ્લામાં પણ ભારત બંધનાં એલાનને ધારણા કરતાં વધુ સફળતા મળી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

દેશવ્યાપી અભિયાન હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા આત્મીય ગ્રીન સ્કૂલની અનોખી પહેલ

ProudOfGujarat

અંકલેશ્વર ની બચપન પ્લે સ્કૂલ ખાતે વેકેશન દરમ્યાન આવતા મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે નૉનફલંએમ રસોઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું…….

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકાના સિક્યુરિટી સ્ટાફને લઘુત્તમ વેતન મળતું નથી. મીનીમમ વેજીસથી અડધું વેતન ચૂકવાતા આક્રોશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!