Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભારત બંધનાં એલાનને પગલે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર માર્ગો પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કરાયો..

Share

આજે તા. 8/12/2020 નાં રોજ ભારત બંધનાં એલાનનાં પગલે ભરૂચ પથકમાં માર્ગો પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર બંધ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દહેજ માર્ગ પર નવેઠા નજીક તો નર્મદા ચોકડી, ઝાડેશ્વર ચોકડી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ પર ટાયર સળગાવી વાહનોની અવરજવરને રોકવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાય હતી. ભારત બંધનાં એલાનને પગલે આમ પણ આ માર્ગ પર રોજ કરતાં ખૂબ ઓછો વાહન વ્યવહાર જણાતો હતો. ટ્રક, ટેન્કર, મોટરકારનાં ચાલકોએ જાણે કે બંધને સમર્થન આપ્યું હોય તેમ વિવિધ હોટલો કે અન્ય સ્થાનકોએ વાહનો થંભાવી દીધા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : દેશમા 100 કરોડ રસીકરણ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રી તેમજ કોરોના વોરિયર્સનું જીનવાલા શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા અભિવાદન કરાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે કાયમી આચાર્ય પદે ડૉ. પાર્થિવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફલૉ સ્કોવોર્ડની ટીમે વર્ષ 2016 ના મારામારીના ગુનામાં એક આરોપીને અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!