Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત બંધનાં એલાનમાં ભરૂચની વડદલા APMC ચાલુ જયારે મહંમદપુરા APMC સદંતર બંધ જોવા મળી.

Share

ભારત બંધનાં એલાનને ભરૂચનાં અનેક સંગઠનોએ અને વેપારીઓએ બંધ પાડવા અપીલ કરી હતી તેવામાં જેની પર મુખ્ય બંધનો આધાર હતો તેવી ખેડૂતો પર આધારિત ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ એ.પી.એમ.સી. માં વડદલા એ.પી.એમ.સી. પર બંધની કોઇ નોંધપાત્ર અસર જણાઈ ન હતી.

જયારે મહંમદપુરા સ્થિત ખેડૂત ઉતપન્ન બજાર સમિતિનાં વેપારીઓ બંધનાં એલાનમાં જોડાતા એ.પી.એમ.સી. સદંતર બંધ જોવા મળી હતી. જયારે ભરૂચ જિલ્લામાં પણ મોટા ભાગનાં વેપારીઓ બંધમાં જોડાયા હતાં.

ભરૂચ જિલ્લાનાં ભરૂચ સહિતનાં નગરોમાં અને મોટા ગામોમાં ભારત બંધનાં એલાનને મિશ્ર પ્રત્યાઘાત સાંપડયા હતાં. તેમ છતાં ભાવનાત્મક અને મોરલ કે રાજકીય રીતે જોતા ભરૂચ પંથકમાં ભારત બંધને ધારણા કરતા વધુ સફળતા પ્રાપ્ત થઈ હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં પાણેથા ગામથી પ્રોહિબિશન એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચમાં વધતા જતા ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને હોટલ હયાત પ્લેસને પર્યટન મંત્રાલય દ્વારા ફાઇવસ્ટાર કેટેગરી માં સમાવેશ કરાયો

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના 810 મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!