Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ખેડૂત વિરોધી કાળા કાયદાને દફનાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની હાકલ, આજથી જિલ્લાવાર કાર્યક્રમો યોજાશે.

Share

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ તથા નિર્ણયોને લઈને સમગ્ર દેશના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જિલ્લાવાર કાર્યક્રમો ઘડી ખેડૂત વિરોધી કાળા કાયદાને દફનાવવા ખેડૂત સંગઠન અને પક્ષના કાર્યકરોને હાકલ કરી. ખેડૂત આંદોલનના સમર્થનમાં તબક્કાવાર કાર્યક્રમો જાહેર કર્યા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપી પક્ષના કાર્યક્રમો અને ખેડૂતોને જાહેરમાં ઉતરી આવી શાસકો સામે જોરદાર પ્રદર્શન કરવા તાકીદ કરી છે. આજે બપોરના 12 કલાકે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યક્રમ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવતની ઉપસ્થિતિ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવતા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને ખેડૂતને મોટી સંખ્યામાં હાજર રહેતા નરેન્દ્ર રાવતે પ્રવર્તમાન ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાને તત્કાલ દફનાવવા સાથે કૃષિ કનડગત સમસ્યાઓનો હલ લાવવા શાસકોને તબક્કાવાર કાર્યક્રમો યોજી સરકાર સામે શસ્ત્ર ઉગામવા કાળા કાયદાને ડામી દેવા જોરદાર હાકલ કરી.

તા.૨૨/૧૨/૨૦૨૦ ના રોજ તમામ જિલ્લા મથકે પત્રકાર પરિષદ અને દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ૨૨ ખેડૂતોને જિલ્લા મથકે શ્રદ્ધાંજલિ અને તા.૨૩/૧૨/૨૦૨૦ ના રોજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક મંદિરોમાં દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ૨૨ ખેડૂતોને શ્રદ્ધાંજલી જિલ્લા અને તાલુકા પંચાયતની અનુલક્ષીને અને તા.૨૪/૧૨/૨૦૨૦ ભાજપ સરકારે પસાર કરેલ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાની તાલુકા કક્ષાએ હોળી અને તા.૨૬/૧૨/૨૦૨૦ ના રોજ ખેતી બચાવો-ખેડૂત બચાવો અને ખેડૂત સાથે સંવાદ અને તા.૦૧/૦૧/૨૦૨૦ થી તા.૧૦/૦૧/૨૦૨૧ સુધી જનસંપર્ક અભિયાન અને ખેડૂત કાળા કાયદા વિરુદ્ધ આવેદનપત્રમાં સહી ઝુંબેશ અને પત્રિકા વિતરણ કરશે.

Advertisement

Share

Related posts

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

ProudOfGujarat

માસ્ટરનો ટાર્ગેટ માંગરોલા-અંકલેશ્વર કોંગ્રેસમાં ગાબડું-મગન પટેલ (માસ્ટર)એ સમર્થકો સાથે પાર્ટીને કરી બાય-બાય, ટીકીટ વહેંચણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી આપ્યું રાજીનામું.

ProudOfGujarat

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!