Proud of Gujarat
FeaturedGujarat

ખ્રિસ્તી સમાજ પર થતા ખોટા આક્ષેપ અંગે રદિયો આપવા ખ્રિસ્તી સમાજે આવેદનપત્ર પાઠવ્યું…

Share

ખ્રિસ્તી સમાજ પર અવારનવાર કેટલાક આક્ષેપો કરવામાં આવે છે.આવા આક્ષેપો પાયાવિહોણા હોવાનું ખ્રિસ્તી સમાજે જણાવ્યું હતું અને સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતના ભરૂચ એકમ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ખ્રિસ્તી ધર્મીઓ પર ધર્મપરિવર્તન અંગેના આક્ષેપો થાય છે જે ખોટા છે.નવસારી જિલ્લાના ગણદેવા તેમ જ નર્મદા જિલ્લાના ખુપરબરસણ ગામે ધર્મપરિવર્તનના નામે ખોટી ફરિયાદો થાય છે જેમાં ગણદેવા ગામે ખ્રિસ્તી ધર્મ સેવકોએ પ્રવેશવું નહીં તેવા પાટિયા પણ મારવામાં આવ્યા છે.તો આ બાબતે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આવા આક્ષેપોને વખોડી નાખવામાં આવે છે.તે અંગેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાંથી ચોરીની મોટર સાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

જામનગરમાં નાગરીકોને આભા કાર્ડ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ProudOfGujarat

પંચમહાલ : મુસ્લિમ સમાજની યુવતીએ એમ.બી.બી.એસ. ની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ સાથે ગોધરાનુ નામ રોશન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!