Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ વધી જતાં સ્થાનિક રહેવાસીઓ ચિંતામાં મુકાયા…

Share

ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં ફરી એક વખત હવા પ્રદૂષણ રેડ ઝોનમાં પહોચ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરની આજ-ુબાજુના વિસ્તારોમાં મહાકાય ખાનગી કંપનીઓ પણ આવેલી છે. ભરૂચ અને અંકલેશ્વરનું હવા પ્રદૂષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. ક્યાંકને ક્યાંક આ ખાનગી કંપનીઓના ધુમાડા, ગેસ, પેટ્રોલના ધુમાડાના કારણે સમગ્ર ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં હવા પ્રદૂષણ સતત વધતું જાય છે. આ હવા પ્રદૂષણ કોઈ ખાનગી કંપની નું છે.? કે કેમ તેવા અનેક તર્ક વિતર્ક સ્થાનિક રહેવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યા છે.

તાજેતરમાં છેલ્લા બે દિવસથી ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં હવા પ્રદૂષણ સતત વધી ગયું છે. આજે સવારથી હવા પ્રદૂષણ ૩૦૦ ને પાર AIQ સાથે વધી ગયું છે. વધતું જતું હવા પ્રદૂષણ સ્થાનિક રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. સતત વધી રહેતા હવા પ્રદૂષણને રોકવા માટે તંત્રએ કામગીરી કરવી જોઇએ તેમજ ભરૂચ અને અંકલેશ્વરની આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે જી.પી.સી.બી સહિતના તંત્ર દ્વારા સખત કામગીરી કરવી જોઇએ તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના ઝોઝ ગામે ઉજ્જવલા દિનની ઉજવણી.મહિલાઓને LPG ના જોડાણ અપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસની કારોબારી સભા તેમજ અભિવાદન સમારોહ યોજાયો. 7 ઠરાવો સર્વાનુમત્તે મંજૂર કરાયા.

ProudOfGujarat

માંગરોળ : રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પ્રમુખ નિલયકુમાર ચૌહાણ દ્વારા મામલતદારને આવેદન આપ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!