Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ વધી જતાં સ્થાનિક રહેવાસીઓ ચિંતામાં મુકાયા…

Share

ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં ફરી એક વખત હવા પ્રદૂષણ રેડ ઝોનમાં પહોચ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરની આજ-ુબાજુના વિસ્તારોમાં મહાકાય ખાનગી કંપનીઓ પણ આવેલી છે. ભરૂચ અને અંકલેશ્વરનું હવા પ્રદૂષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. ક્યાંકને ક્યાંક આ ખાનગી કંપનીઓના ધુમાડા, ગેસ, પેટ્રોલના ધુમાડાના કારણે સમગ્ર ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં હવા પ્રદૂષણ સતત વધતું જાય છે. આ હવા પ્રદૂષણ કોઈ ખાનગી કંપની નું છે.? કે કેમ તેવા અનેક તર્ક વિતર્ક સ્થાનિક રહેવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યા છે.

તાજેતરમાં છેલ્લા બે દિવસથી ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં હવા પ્રદૂષણ સતત વધી ગયું છે. આજે સવારથી હવા પ્રદૂષણ ૩૦૦ ને પાર AIQ સાથે વધી ગયું છે. વધતું જતું હવા પ્રદૂષણ સ્થાનિક રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. સતત વધી રહેતા હવા પ્રદૂષણને રોકવા માટે તંત્રએ કામગીરી કરવી જોઇએ તેમજ ભરૂચ અને અંકલેશ્વરની આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે જી.પી.સી.બી સહિતના તંત્ર દ્વારા સખત કામગીરી કરવી જોઇએ તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

સુરત યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં કામદારનું ચક્કર ખાઈને પડી જતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું

ProudOfGujarat

ભરૂચનાં ફલશ્રુતિનગરમાંથી એક મોબાઈલ ચોરને પકડી પાડતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!